સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના એક પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્ય. છગનભા દ્વારા વર્ષ-૧૯૧૯ માં કરવામાં આવી હતી. તેમના દ્વારા ઉપદેશિત “કર ભલા હોગા ભલા” ના જીવન મંત્રને અપનાવી એક ઉમદા અભિગમ સાથે ટ્રસ્ટ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓને આગળ ધપાવી રહ્યું છે.